Posts

આદી શ્રી શંકરાચાર્ય કૃત તત્વબોધ સારાંશ :- ભાગ ૨

આદી શ્રી શંકરાચાર્ય કૃત તત્વબોધ સારાંશ :- ભાગ ૨ આપણે આદી શ્રી શંકરાચાર્ય કૃત તત્વબોધ સારાંશ :- ભાગ ૧ માં અનુબંધ ચતુષ્ઠાય , સાધન ચતુષ્ટય (ચતુર્ભુજ સાધન) ત્રણ શરીર (સ્થુલ શરીર , સૂક્ષ્મ શરીર અને કરણ શરીર) ની વિભાવના , સાત ચક્રોની , પાંચ કોષ અવસ્થા ત્રય વિષે જાણ્યું . આ અંકમાં આત્મા , જગત , બ્રાહમ , માયા , સર્જન , પંચ મહાભૂતનું વિકાસ , સત્વ , રજસ અને તમસ પાસાની ઉત્ક્રાંતિ , પચિકરણ   સમજશક્તિના અંગો , ઈશ્વર અને અધિસ્થાન દેવતા , જીવ અને ઈશ્વર તત્ત્વમશી , જીવમુક્ત , અસંગા , સચિદાનંદ , કર્મા વગેરે . આત્મા એટલે શું ? અત્યાર સુધી શ્રી શંકરાચાર્યે તત્વોબોધમાં આત્માની સમાજ નિષેધ કે નકારાત્મક વ્યાખ્યાના રૂપમાં આપી છે. એટલે કે આત્મા શું નથી જેમકે આત્મા   ત્રણ શરીર નથી , તે પાંચ આવરણો(પંચકોષ) નથી અને ચેતનાની ત્રણ અવસ્થાઓનો સાક્ષી છે પણ તે ત્રણ અવસ્થા નથી અને તેના વિસ્તૃત કારણ આપ્યા છે.હવે આત્મા એટલે શું તેની હકારાત્મક વ્યાખ્યા આપી છે અને તેની વ્યાખ્યા અને ગુણધર્મ વિષે વાત કરી છે.શ્રી શંકરાચાર્ય કહે છે કે આત્મા એટલે સચિદાનંદ , સચ્ચિદાનંદ એટલે સત , ચીત અને આનંદ.આ ત્રણ અલગ અલગ ગુ...