હિન્દુ ધર્મ સાહિત્યની ઉત્પત્તિ અને વિકાસ તથા પરંપરા –ભાગ -૧
હિન્દુ ધર્મ સાહિત્યની ઉત્પત્તિ અને વિકાસ તથા પરંપરા –ભાગ -૧
હિન્દુ ધર્મ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મોમાંનો એક છે, જેને વૈદિક સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે
સંસ્કૃતિની ઓળખ તેના સાહિત્યથી થાય છે. હિન્દુ ધર્મ સાહિત્ય એ માત્ર ધાર્મિક
પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ તે હજારો વર્ષોના ચિંતન,
વિજ્ઞાન, તત્વજ્ઞાન, ખગોળશાસ્ત્ર
અને માનવ જીવન જીવવાની કળાનો અમૂલ્ય વારસો છે. આ
સાહિત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ એક પ્રબોધક કે એક ચોક્કસ સમયગાળામાં
નથી લખાયું, પરંતુ સદીઓ સુધી ઋષિ-મુનિઓની મનોમંથન અને
આધ્યાત્મિક અનુભૂતિઓનું પરિણામ છે.
૧. મૂળ ઉત્પત્તિ અને મૌખિક પરંપરા (Oral Tradition)
સાહિત્યનું મુખ્ય વર્ગીકરણ : હિન્દુ ધર્મ સાહિત્ય મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે: ૧. શ્રુતિ અને ૨. સ્મૃતિ.
૧. શ્રુતિ :-
હિન્દુ સાહિત્યની ઉત્પત્તિ લિપિ (લખાણ) શોધાઈ તે પહેલાં થઈ હતી.
શ્રુતિ પરંપરા: શરૂઆતમાં
જ્ઞાનને પિતાથી પુત્ર કે ગુરુથી શિષ્ય સુધી માત્ર બોલીને અને સાંભળીને
પહોંચાડવામાં આવતું. તેને 'શ્રુતિ' (જે
સાંભળવામાં આવ્યું છે) કહેવાય છે.
વિકૃતિ પાઠ :- મંત્રોના ઉચ્ચારણમાં સહેજ પણ ભૂલ ન થાય તે માટે કુલ આઠ વિકૃતિ
પાઠ જેવી અદ્ભુત મૌખિક પદ્ધતિઓ વિકસાવવામાં આવી હતી. હજારો વર્ષો સુધી વેદોને કોઈ
પણ લખાણ વગર માત્ર મોઢેથી યાદ રાખીને સાચવવામાં આ પદ્ધતિઓનો મોટો ફાળો રહ્યો છે.
હજારો વર્ષો સુધી વેદો લિપિબદ્ધ નહોતા, તેથી મંત્રોમાં કોઈ ભૂલ ન થાય કે શબ્દોનો ક્રમ બદલાય નહીં તે માટે
વિદ્વાનોએ આ જટિલ ગણિતીય પદ્ધતિઓ વિકસાવી હતી.
પાઠ પદ્ધતિઓનું મહત્વ :-
અચૂક સુરક્ષા: આ
રીતે મંત્રો બોલવાથી મંત્રોમાં એક પણ અક્ષર, શબ્દ કે સ્વરનો ઉમેરો કે ઘટાડો થવાની શક્યતા શૂન્ય થઈ જાય છે.
મનોવૈજ્ઞાનિક અને મૌખિક પરંપરા: આ પદ્ધતિઓના કારણે જ યુગો સુધી વેદો કોઈપણ લખાણ વિના પણ પોતાના મૂળ અને શુદ્ધ
સ્વરૂપમાં સુરક્ષિત રહ્યા છે.
આ આઠેય પાઠોને યાદ રાખવા માટે શાસ્ત્રોમાં એક પ્રસિદ્ધ શ્લોક છે:
જટા માલા શિખા રેખા ધ્વજો દંડો રથો ઘનઃ।
અષ્ટૌ વિકૃતયઃ પ્રોક્તાઃ ક્રમપૂર્વા મનીષિભિઃ॥
આઠ પ્રકારની મુખ્ય વિકૃતિઓ (જટા, માલા, શિખા, રેખા, ધ્વજ, દંડ, રથ, ઘન) માં જટાપાઠ પ્રાથમિક જટિલ પાઠ છે અને ઘનપાઠ એ સૈદ્ધાંતિક રીતે સૌથી કઠિન પાઠ છે.જટાપાઠ (Jata Path) અને ઘનપાઠ (Ghana Path) એ પ્રાચીનકાળથી
વેદોના મંત્રોને અક્ષરશઃ સાચવી રાખવા અને તેમના શુદ્ધ ઉચ્ચારણ જાળવી રાખવા માટેની વેદ પાઠ પદ્ધતિઓ (વિકૃતિ પાઠ) છે.
ü ૧. જટાપાઠ (Jata Path):- 'જટા' એટલે વાળની ચોટલી કે ગૂંથણ. આ
પદ્ધતિમાં મંત્રના શબ્દોને ચોટલીની જેમ આગળ-પાછળ ગૂંથીને બોલવામાં આવે છે.
પદ્ધતિ: મંત્રના
બે-બે શબ્દોની જોડી બનાવીને તેને સીધા, ઊંધા અને ફરીથી સીધા ક્રમમાં બોલવામાં આવે છે.
ઉદાહરણ (ક્રમ): જો
મંત્રના શબ્દો ૧, ૨, ૩, ૪ હોય, તો: (૧-૨, ૨-૧, ૧-૨), (૨-૩, ૩-૨, ૨-૩), (૩-૪, ૪-૩, ૩-૪)
ü ૨. ઘનપાઠ (Ghana Path):- 'ઘન' એટલે અત્યંત ઘન અથવા જટિલ. આ વેદ પાઠ કરવાની
સૌથી મુશ્કેલ, અદભુત અને શ્રેષ્ઠ પદ્ધતિ ગણાય છે. જે વિદ્વાન
આ પદ્ધતિમાં નિપુણતા મેળવે છે તેમને 'ઘનપાઠી'
કહેવામાં આવે છે.
પદ્ધતિ: આમાં
ત્રણ-ત્રણ શબ્દોના જૂથને આગળ-પાછળ વિવિધ સંયોજનોમાં બોલવામાં આવે છે.
ઉદાહરણ (ક્રમ): જો
મંત્રના શબ્દો ૧, ૨, ૩, ૪ હોય, તો: (૧-૨, ૨-૧, ૧-૨-૩, ૩-૨-૧, ૧-૨-૩), (૨-૩, ૩-૨, ૨-૩-૪, ૪-૩-૨, ૨-૩-૪)
ü ૩. માલા પાઠ (Mala
Patha):- જેમ માળાના મણકા એકબીજા સાથે જોડાયેલા હોય છે, તેમ આ પાઠમાં મંત્રના શબ્દોને માળાની ગૂંથણીની જેમ રજૂ
કરવામાં આવે છે.
બોલવાનો નિયમ : આમાં શબ્દોને પહેલા સીધા ક્રમમાં (A-B, B-C) અને પછી ઊંધા ક્રમમાં (C-B, B-A) બોલીને ગૂંથવામાં આવે છે.
ઉદાહરણ (૧, ૨, ૩,
૪ શબ્દો માટે) : (૧-૨),
(૨-૩), (૩-૪) (અને પછી ઊંધો ક્રમ) (૪-૩),(૩-૨), (૨-૧)
ü ૪. શિખા પાઠ (Shikha
Patha):- ‘શિખા’ એટલે શિર પરની
ચોટલી. આ પાઠ જટાપાઠ જેવો જ છે, પરંતુ તેના
અંતમાં એક વધારાનો (ત્રીજો) શબ્દ ઉમેરીને ચોટલી જેવું શિખર બનાવવામાં આવે છે.
બોલવાનો નિયમ: જટાપાઠના (૧-૨,
૨-૧,
૧-૨) રૂપમાં છેલ્લે ત્રીજો શબ્દ ઉમેરીને (૧-૨-૩)
કરવામાં આવે છે. ઉદાહરણ:(૧-૨) (૨-૧) (૧-૨-૩), (૨-૩) (૩-૨) (૨-૩-૪)
ü ૫. રેખા પાઠ (Rekha
Patha):- ‘રેખા’ એટલે સીધી
લીટી. આ પાઠમાં શબ્દોના જોડાણને એક સીધી રેખામાં લંબાવીને પાછા મૂળ સ્થાન પર લાવવામાં
આવે છે.
બોલવાનો નિયમ: પ્રથમ શબ્દથી શરૂ કરીને આગળના શબ્દો સુધી
ક્રમશઃ વધતા જવું અને પછી પાછા આવવું.
ઉદાહરણ: (૧-૨), (૨-૧), (૧-૨-૩), (૩-૨-૧),(૧-૨-૩-૪), (૪-૩-૨-૧)
ü ૬. ધ્વજ પાઠ (Dhvaja
Patha):- ‘ધ્વજ’ એટલે ફ્લેગ કે
પતાકા. જે રીતે ધ્વજનો એક છેડો લાકડી સાથે બંધાયેલો હોય છે અને બીજો છેડો હવામાં
લહેરાય છે,
તેમ આમાં મંત્રના પ્રથમ અને અંતિમ શબ્દોને એકસાથે
સાંકળવામાં આવે છે.
બોલવાનો નિયમ: મંત્રના શરૂઆતના બે શબ્દો અને અંતના બે
શબ્દોને સાથે જોડીને પાઠ કરાય છે.
ઉદાહરણ (જો મંત્રમાં ૧ થી ૬ શબ્દો હોય): (૧-૨) (૬-૫) (૨-૩) (૫-૪) (૩-૪)
ü ૭. દંડ પાઠ (Danda
Patha):- ‘દંડ’
એટલે સોટી કે લાકડી. આ પાઠમાં શબ્દોને દંડની જેમ સીધા અને
મજબૂત ક્રમમાં પકડી રાખવામાં આવે છે. આ ઘનપાઠ કરતાં પણ વધુ વિસ્તાર ધરાવતો અને
અત્યંત જટિલ પાઠ છે.
બોલવાનો નિયમ: આમાં જટાપાઠ અને શિખાપાઠનું વિસ્તૃત રૂપ એકસાથે
જોડવામાં આવે છે.
ઉદાહરણ: (૧-૨), (૨-૧),(૧-૨), (૨-૩),(૩-૨-૧),(૧-૨-૩)
ü ૮. રથ પાઠ (Ratha Patha):- ‘રથ’
એટલે રથના પૈડાં. રથના બે પૈડાં જેમ સાથે ચાલે છે, તેમ આ પાઠમાં મંત્રના ચરણો (પંક્તિઓ) ને બે ભાગમાં વહેંચીને
રથના પૈડાંની જેમ સામસામે ગૂંથવામાં આવે છે.
બોલવાનો નિયમ: મંત્રના પૂર્વાર્ધ (પહેલો અડધો ભાગ) અને
ઉત્તરાર્ધ (બીજો અડધો ભાગ) ના શબ્દોને સામસામે જોડીને બોલવામાં આવે છે.
ઉદાહરણ (જો બે અડધા ભાગમાં A, B અને X,
Y શબ્દો હોય): (A-X), (B-Y), (A-B),
(X-Y)
પાછળથી તેને સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં તાડપત્રો (Palm leaves) પર લખવામાં આવ્યું.
શ્રુતિ સાહિત્ય (અપૌરુષેય - જે મનુષ્ય દ્વારા નથી રચાયું)
આ સાહિત્યને સર્વોચ્ચ માનવામાં આવે છે, કારણ કે માન્યતા મુજબ આ જ્ઞાન ઈશ્વરે ઋષિઓને ધ્યાન અવસ્થામાં આપ્યું હતું.
હિન્દુ ધર્મ સાહિત્યમાં વૈદિક મંત્રો કે શ્રુતિઓની ઉત્પત્તિ કોઈ પુરુષ કે સ્ત્રી
દ્વારા સામાન્ય રીતે વિચારીને કરવામાં આવી નથી. આ મંત્રો ઋષિઓએ ગૂઢ ધ્યાન
અવસ્થામાં બ્રહ્માંડના અવાજ અને પરમાત્માના જ્ઞાન સ્વરૂપે સાંભળ્યા કે અનુભવ્યા
હતા. એટલા માટે ઋષિઓને મંત્રોના 'કર્તા'
(લખનાર) નહીં, પરંતુ 'મંત્ર દ્રષ્ટા' (મંત્રોને જોનાર કે અનુભવનાર) કહેવામાં આવે છે.
સનાતન ધર્મમાં એક ખૂબ જ પ્રચલિત ઉક્તિ છે: || ઋષયો મંત્રદ્રષ્ટારો ન તુ કર્તાર ||
અર્થાત: ઋષિઓ મંત્રોના દ્રષ્ટા છે, તેના બનાવનારા નથી.
ઋષિઓને આ જ્ઞાન કોણ કેવી રીતે પ્રાપ્ત થયું ?
આ પ્રશ્નનો ઉત્તર સમજવા માટે આપણે આધ્યાત્મિક અને દાર્શનિક બંને
દ્રષ્ટિકોણ જોવા પડશે :
દાર્શનિક દ્રષ્ટિકોણ :
વેદ 'અપૌરુષેય' છે. વેદ (Vedas) 'વિદ્'
ધાતુ પરથી વેદ શબ્દ બન્યો છે, જેનો અર્થ થાય
છે 'જ્ઞાન'.
હિન્દુ ધર્મના મીમાંસા દર્શન અને ન્યાય શાસ્ત્ર અનુસાર વેદ 'અપૌરુષેય' છે, એટલે કે તે કોઈ પુરુષ, સ્ત્રી,
દેવતા કે મનુષ્ય દ્વારા રચવામાં આવ્યા નથી. જ્યારે
બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે તેની સાથે જ પરમાત્માના શ્વાસ (Breath) સ્વરૂપે આ જ્ઞાન આપો આપ પ્રગટ થયુ.
ઋષિઓને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું, તે સમજવા માટે આપણે સામાન્ય ભૌતિક બુદ્ધિથી ઉપર ઉઠીને આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક
પ્રક્રિયાને સમજવી પડે.
ઋષિઓએ કોઈ પ્રયોગશાળામાં પ્રયોગો નહોતા કર્યા કે નહોતું કોઈ પુસ્તક વાંચ્યું.આ
જ્ઞાન તેમને જે પદ્ધતિથી મળ્યું તેને વૈદિક વિજ્ઞાનમાં 'અંતઃસ્ફુરણા' (Intuition) અથવા 'સાક્ષાત્કાર'
કહેવામાં આવે છે.
આખી પ્રક્રિયા નીચે મુજબના આધ્યાત્મિક તબક્કાઓમાં થઈ હોવી જોઈએ :
ü
૧. ઇન્દ્રિયો
અને મન પર સંપૂર્ણ કાબૂ (ચિત્ત શુદ્ધિ)
સામાન્ય માણસનું મન બહારની દુનિયાની વસ્તુઓ (જોવું, સાંભળવું, સ્વાદ
લેવો)માં ભટકતું હોય છે. ઋષિઓએ વર્ષોની સાધના, તપસ્યા અને બ્રહ્મચર્ય દ્વારા પોતાની પાંચેય ઇન્દ્રિયો અને મનને બહારની
દુનિયામાંથી સંપૂર્ણપણે ખેંચી લીધું. જ્યારે મન બહાર ભટકતું બંધ થાય, ત્યારે તે અંદરની તરફ વળે છે.
ü
૨. 'સમાધિ' ની સર્વોચ્ચ અવસ્થા (The Transcendent State)
મન જ્યારે એકદમ શાંત થઈ જાય, ત્યારે ઋષિઓ 'નિર્વિકલ્પ સમાધિ'(ઊંડા ધ્યાનની એવી અવસ્થા જ્યાં કોઈ વિચારો જ ન હોય)માં
પ્રવેશતા. આ અવસ્થામાં તેમનું વ્યક્તિગત મન (Individual Mind) મટીને બ્રહ્માંડના સર્વોચ્ચ મન એટલે કે પરમાત્માની ચેતના
(Cosmic
Consciousness) સાથે એકાકાર થઈ જતું. જેમ એક શાંત અને સ્વચ્છ તળાવના તળિયે
પડેલો સિક્કો પણ ચોખ્ખો દેખાય છે, તેમ ઋષિઓના
એકદમ શાંત મન રૂપી અરીસામાં બ્રહ્માંડના પરમ સત્યો આપોઆપ દેખાવા લાગ્યા.
ü
૩. 'શ્રુતિ' અને 'દ્રષ્ટિ' (સાંભળવું અને જોવું) આ સમાધિની
અવસ્થામાં જ્ઞાન બે રીતે પ્રગટ થયું:
Ø
નાદ બ્રહ્મ
(શબ્દ સ્વરૂપે): બ્રહ્માંડમાં એક અનાહત
નાદ (ધ્વનિ/વાઇબ્રેશન) સતત વહેતો હોય છે. ઋષિઓએ એ શુદ્ધ અવસ્થામાં એ ધ્વનિઓને
સાંભળ્યા. એટલા માટે આ જ્ઞાનને 'શ્રુતિ' (જે સાંભળવામાં આવ્યું) કહેવાય છે.
Ø
મંત્ર દ્રષ્ટા
(પ્રકાશ સ્વરૂપે): ઋષિઓને આ જ્ઞાન અક્ષરોના
રૂપમાં નહોતું દેખાયું,
પરંતુ સત્યના સાક્ષાત્ દ્રશ્ય તરીકે દેખાયું હતું. એટલા
માટે ઋષિઓને 'મંત્રના કર્તા' (લખનાર) નહીં,
પણ 'મંત્ર દ્રષ્ટા' (મંત્રોને જોનાર) કહેવાય છે.
સરળ સૂર્ય અને કિરણોનું ઉદાહરણ: જેમ સૂર્યપ્રકાશ ચારેય બાજુ ફેલાયેલો છે, પરંતુ જો તમે એક બૃહદ્દર્શક કાચ (Magnifying Glass) એક જગ્યાએ સ્થિર રાખો, તો તે બધા કિરણોને એકત્રિત કરીને અગ્નિ પ્રગટ કરે છે.
પરમાત્માનું વેદ જ્ઞાન પણ બ્રહ્માંડના વાતાવરણમાં તરંગોના
રૂપમાં હાજર જ હતું. ઋષિઓએ પોતાના મનને 'મેગ્નિફાઇંગ ગ્લાસ'
જેવું એકાગ્ર અને સ્થિર કર્યું, જેના કારણે એ બ્રહ્માંડનું જ્ઞાન તેમના હૃદયમાં 'મંત્રો'ના સ્વરૂપે
આપોઆપ પ્રગટ થઈ ગયું.
આમ,
પરમાત્માએ કોઈ મનુષ્યની જેમ આવીને વાણી દ્વારા જ્ઞાન નહોતું
આપ્યું,
પરંતુ ઋષિઓએ પોતાની આધ્યાત્મિક ઊંચાઈ દ્વારા ઈશ્વરીય
જ્ઞાનના તરંગોને પોતાના શુદ્ધ અંતઃકરણમાં ઝીલી લીધા હતા.
અસ્ય મહતો ભૂતસ્ય નિઃશ્વસિતમેતદ્યદ્રગ્વેદો યજુર્વેદઃ સામવેદોઽથર્વાડ્ગિરસઃ |
(બૃહદારણ્યક ઉપનિષદ, ૨.૪.૧૦)
અર્થ: આ ઋગ્વેદ,
યજુર્વેદ, સામવેદ અને અથર્વેદએ
તે મહાન પરમાત્માના શ્વાસ સમાન (સહજ પ્રગટ થયેલા) છે.
પૌરાણિક દ્રષ્ટિકોણ :
પૌરાણિક કથાઓ અનુસાર,
સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીને સૌથી પહેલા પરમાત્મા
(નારાયણ/શિવ) તરફથી આ જ્ઞાન મળ્યું હતું.
ü
બ્રહ્માજીનું
ધ્યાન: સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરવા
માટે ધ્યાનમાં બેઠા,
ત્યારે તેમના મુખમાંથી વેદોની વાણી પ્રગટ થઈ. સૃષ્ટિના
સર્જક બ્રહ્માજીએ પોતાના પ્રખર ધ્યાન દ્વારા બ્રહ્માંડમાં વહેતા આ ચારેય તરંગોને
પોતાનામાં ઝીલી લીધા. એટલે કે, બ્રહ્માજી એ
પ્રથમ દેવ બન્યા જેમણે આ ચારેય વેદોનું સંયુક્ત જ્ઞાન મેળવ્યું.
ü ઋષિઓનું અંતઃકરણ: જ્યારે અગ્નિ,
વાયુ, આદિત્ય અને
અંગિરા નામના ચાર ઋષિઓ અત્યંત ઊંડી ધ્યાન અવસ્થા (Samadhi) માં ગયા,ત્યારે તેમનું
મન બ્રહ્માંડના સર્વોચ્ચ ચેતના (Cosmic Consciousness) સાથે જોડાઈ ગયું. પરમાત્માએ અગ્નિ, વાયુ,
આદિત્ય અને અંગિરાના માધ્યમથી બ્રહ્માંડના વાતાવરણમાં વેદ
જ્ઞાનના તરંગો વહેતા મૂક્યા. બ્રહ્માજીએ આ જ્ઞાન સૃષ્ટિના પ્રારંભિક ઋષિઓના
હૃદયમાં સ્થાપિત કર્યું.
પ્રસારણ: હવે બ્રહ્માજીએ આ જ્ઞાન પૃથ્વી પર મનુષ્યો સુધી પહોંચાડવા
માટે પોતાના સૌથી લાયક અને જ્યેષ્ઠ પુત્ર અથર્વા ઋષિના અંતઃકરણમાં સ્થાપિત કર્યું.
સપ્તર્ષિ (ઋગ્વેદના મુખ્ય સાત ઋષિ પરિવારો)
ઋગ્વેદના અલગ-અલગ મંડળો (પ્રકરણો) ચોક્કસ ઋષિઓ અને તેમના પરિવારો દ્વારા
સાંભળીને સાચવવામાં આવ્યા હતા. આ સપ્તર્ષિઓમાં સમય સાથે અલગ-અલગ નામો મળે છે, પરંતુ વૈદિક સાહિત્યના મુખ્ય સાત સ્તંભ આ મુજબ છે
૧.ઋષિ વસિષ્ઠ:
ઋગ્વેદના ૭મા મંડળના દ્રષ્ટા. તેઓ રાજા દશરથ અને ભગવાન રામના કુળગુરુ હતા.
૨.
ઋષિ વિશ્વામિત્ર: ઋગ્વેદના ૩જા મંડળના દ્રષ્ટા. હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર મહામંત્ર "ગાયત્રી
મંત્ર" વિશ્વામિત્ર ઋષિના મનોમંથન અને ધ્યાનમાંથી પ્રગટ થયો છે.
૩.
ઋષિ વામદેવ:
ઋગ્વેદના ૪થા મંડળના દ્રષ્ટા. તેઓ સંગીતમય મંત્રો અને આધ્યાત્મિક જ્ઞાન માટે
જાણીતા છે.
૪.
ઋષિ અત્રિ: ઋગ્વેદના ૫મા
મંડળના દ્રષ્ટા. તેમણે અને તેમના પરિવારે વેદોના સંરક્ષણમાં મોટો ફાળો આપ્યો છે.
૫.
ઋષિ ભારદ્વાજ:
ઋગ્વેદના ૬ઠા મંડળના દ્રષ્ટા. તેઓ વિજ્ઞાન, આયુર્વેદ અને યંત્રોના જ્ઞાનના પ્રકાંડ પંડિત હતા.
૬.
ઋષિ ગૃત્સમદ:
ઋગ્વેદના ૨જા મંડળના દ્રષ્ટા. તેમને વિશ્વના પ્રથમ 'ટેક્નોલોજિસ્ટ'
અથવા એન્જિનિયર તરીકે પણ કેટલાક સંશોધકો ઓળખે છે.
૭.
ઋષિ કણ્વ (અને કશ્યપ): ઋગ્વેદના ૮મા અને ૯મા મંડળના મંત્રો
આ પરિવારો દ્વારા દ્રષ્ટિગોચર થયા છે.
બ્રહ્મ-વિદ્યાની મુખ્ય પરંપરા (મુન્ડક ઉપનિષદ
અનુસાર)
મુન્ડક ઉપનિષદ (૧.૧.૧) માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ આ જ્ઞાન કોને
આપ્યું અને તે કેવી રીતે આગળ વધ્યું:
બ્રહ્મા દેવાનામ્ પ્રથમઃ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા |
સ બ્રહ્મવિદ્યામ્ સર્વવિદ્યાપ્રતિષ્ઠામથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ ||
અર્થ: બ્રહ્માંડના સર્જક અને રક્ષક બ્રહ્માજી દેવોમાં પ્રથમ પ્રગટ થયા. તેમણે
તમામ વિદ્યાઓનો આધાર એવી 'બ્રહ્મવિદ્યા' (વેદ જ્ઞાન) પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વાને આપી. આ પરંપરા નીચે મુજબ આગળ વધી:
બ્રહ્માજી ➔ અથર્વા ઋષિને➔
અંગિરા ઋષિને ➔
સત્યવાહ ભગવાન્ (ભારદ્વાજ ઋષિ)ને ➔
અંગિરસ ઋષિને
➔મહાશાલ શૌનક ઋષિને.
૨. ચાર વેદોના પ્રસારની વ્યવહારિક પરંપરા
બીજી લોકપ્રિય પૌરાણિક માન્યતા મુજબ, બ્રહ્માજીએ સૃષ્ટિ ચલાવવા માટે પોતાના મુખ્ય માનસપુત્રોને આ જ્ઞાન આપ્યું, જે આગળ જતાં પૃથ્વી પર અલગ-અલગ ઋષિઓ દ્વારા વિસ્તૃત થયું:
ઋષિ મરીચિ અને વસિષ્ઠ: બ્રહ્માજીએ
પોતાના આ માનસપુત્રોને સૃષ્ટિના નિયમો અને વેદોનું જ્ઞાન આપ્યું, જે તેમણે આગળ જતાં સૂર્યવંશના મનુષ્યોને આપ્યું.
દેવર્ષિ નારદ: બ્રહ્માજીના પુત્ર નારદજીને
પણ બ્રહ્માજી પાસેથી સીધું જ્ઞાન મળ્યું હતું. નારદજીએ આ જ્ઞાન પાછળથી મહર્ષિ
વેદવ્યાસ(જેમેને મહાભારતની રચના કરી હતી)ને આપ્યું,જેમણે વેદો 'મંત્ર કે ઋચાઓ’ ને
સુવિવસ્થિત રીતે વિભાજન કર્યું સાક્ષાત્કાર: આ શુદ્ધ અવસ્થામાં તેમને જે
અવાજો અને સત્ય સંભળાયું,
તેને તેમણે 'મંત્ર
કે ઋચાઓ’ તરીકે સ્વીકાર્યું.
વૈદિક શ્રુતિ પરંપરાના 'ઋષિકાઓ' (મહિલા ઋષિઓ)
શ્રુતિ પરંપરા માત્ર પુરુષ ઋષિઓ પૂરતી સીમિત નહોતી. વૈદિક કાળમાં સ્ત્રીઓને પણ
ઉચ્ચ સન્માન હતું અને ઘણી વિદુષી સ્ત્રીઓએ પણ ધ્યાન દ્વારા વેદોના મંત્રો
સાક્ષાત્કાર કર્યા હતા,
જેમને 'ઋષિકા' કે 'બ્રહ્મવાદિની' કહેવાય છે:
·
ગાર્ગી : ઉપનિષદ કાળના સૌથી પ્રખર વિદુષી. રાજા જનકની સભામાં તેમણે
પ્રખ્યાત ઋષિ યાજ્ઞવલ્ક્ય સાથે બ્રહ્મજ્ઞાન પર અદ્ભુત શાસ્ત્રાર્થ (વાદ-વિવાદ)
કર્યો હતો.
·
મૈત્રેયી : ઋષિ યાજ્ઞવલ્ક્યના પત્ની. તેમણે ભૌતિક સંપત્તિના સ્થાને
અમરત્વ અને આત્મજ્ઞાનની માંગણી કરી હતી, જેની ચર્ચા બૃહદારણ્યક ઉપનિષદમાં છે.
·
લોપામુદ્રા : અગસ્ત્ય ઋષિના પત્ની, જેમણે ઋગ્વેદના અનેક મંત્રોની રચના અને પ્રસારમાં યોગદાન આપ્યું.
·
અપાલા અને
ઘોષા : આ ઋષિકાઓના મંત્રો ઋગ્વેદમાં આજે પણ પૂજનીય સ્થાન ધરાવે
છે.
શ્રુતિનું વર્ગીકરણ કરનાર: મહર્ષિ વેદવ્યાસ :-
વૈદિક કાળના અંતે,
મંત્રોની સંખ્યા એટલી વધી ગઈ કે સામાન્ય માણસ માટે બધું જ
યાદ રાખવું અશક્ય બન્યું. ત્યારે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન (વેદવ્યાસ)નામના ઋષિએ
શ્રુતિ પરંપરાના વિશાળ જ્ઞાનને એકઠું કર્યું અને તેને સુવ્યવસ્થિત રીતે ચાર ભાગમાં
વહેંચ્યું (ઋગ્વેદ,
યજુર્વેદ, સામવેદ અને
અથર્વવેદ).
વેદોનું આ રીતે વિભાજન (વર્ગીકરણ) કરવાને કારણે જ તેમનું નામ 'વેદવ્યાસ' (વેદોના વ્યાસ એટલે કે સંપાદક) પડ્યું. તેમણે પોતાના ચાર
મુખ્ય શિષ્યોને એક-એક વેદ સાચવવાની જવાબદારી સોંપી:
ü
પૈલ ઋષિને ઋગ્વેદ
સોંપ્યો.
ü
વૈશંપાયન
ઋષિને યજુર્વેદ સોંપ્યો.
ü
જૈમિની ઋષિને સામવેદ
સોંપ્યો.
ü
સુમન્તુ ઋષિને
અથર્વવેદ સોંપ્યો.
આ ઋષિઓએ પોતપોતાની શાખાઓ શરૂ કરી, જેથી કરીને શ્રુતિ પરંપરા અવિરતપણે આગળ વધી શકી.
પરમ જ્ઞાનને પૃથ્વી પર લાવનારા, તેને ગોઠવનારા અને પેઢી દર પેઢી અખંડ સાચવનારા મુખ્ય ઋષિઓનું વિસ્તૃત વૈદિક
વર્ગીકરણ નીચે મુજબ છે:
૧. પ્રથમ
તબક્કો: 'મંત્ર
દ્રષ્ટા' ઋષિઓ
(જ્ઞાન પ્રાપ્ત કરનાર) :
આ એ ઋષિઓ છે જેમણે પોતાની નિર્વિકલ્પ સમાધિમાં બ્રહ્માંડના તરંગોમાંથી સીધું
જ્ઞાન મેળવ્યું. શતપથ બ્રાહ્મણ (૧૧.૫.૮.૧) અને મનુસ્મૃતિ (૧.૨૩) મુજબ પરમાત્માએ આ
જ્ઞાન ચાર મૂળ ઋષિ શક્તિઓમાં પ્રગટ કર્યું:
ü
ઋષિ અગ્નિ: આત્મજ્ઞાન અને સ્તુતિના પ્રતીક, જેમણે ઋગ્વેદ મેળવ્યો.
ü
ઋષિ વાયુ: ક્રિયા અને યજ્ઞના પ્રતીક, જેમણે યજુર્વેદ મેળવ્યો.
ü
ઋષિ આદિત્ય: લય અને ગાનના પ્રતીક, જેમણે સામવેદ મેળવ્યો.
ü
ઋષિ અંગિરા: લૌકિક રક્ષણ અને મનોવિજ્ઞાનના પ્રતીક, જેમણે અથર્વવેદ મેળવ્યો.
૨. દ્વિતીય
તબક્કો: વેદવ્યાસ અને તેમનું 'ઋષિ મંડળ' (જ્ઞાન ગોઠવનાર)
દ્વાપરયુગના અંતે જ્યારે મનુષ્યોની યાદશક્તિ નબળી પડવા લાગી, ત્યારે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન (વેદવ્યાસ) એ એક જ મહાન વેદ
જ્ઞાનના ચાર ભાગ પાડીને સંકલન કર્યું. તેમણે પૃથ્વી પર વેદોની અવિરત રક્ષા થાય તે
માટે પોતાના ચાર મુખ્ય પરમ શિષ્યોને એક-એક વેદ સાચવવાની ગુરુ-શિષ્ય જવાબદારી
સોંપી:
ü
પૈલ ઋષિ: વ્યાસજીએ તેમને ઋગ્વેદ સોંપ્યો, વૈદિક સાહિત્યનો આધારસ્તંભ અને વિશ્વનું સૌથી જૂનું પુસ્તક.
તેમાં ૧૦ મંડળ અને ૧,૦૨૮ સૂક્તો (મંત્રો) છે, જે પ્રકૃતિ અને દેવોની સ્તુતિ કરે છે. જે તેમણે આગળ ધપાવ્યો.
ü
વૈશંપાયન ઋષિ: વ્યાસજીએ તેમને યજુર્વેદનું સંરક્ષણ સોંપ્યું. આમાં યજ્ઞોના નિયમો, વિધિઓ અને કર્મકાંડનું વર્ણન છે. તે ગદ્ય અને પદ્ય બંનેમાં છે.
ü
જૈમિની ઋષિ: વ્યાસજીએ સામવેદના આચાર્ય બનાવ્યા. આ
સંગીતનો વેદ છે. ઋગ્વેદના મંત્રોને કઈ રાગમાં ગાવા તે આમાં દર્શાવ્યું છે. ભારતીય
શાસ્ત્રીય સંગીતનું મૂળ સામવેદ છે.
ü
સુમન્તુ ઋષિ: વ્યાસજીએ તેમને અથર્વવેદના પ્રસારની જવાબદારી આપી. આ વેદ દૈનિક જીવન સાથે જોડાયેલો છે. આમાં આયુર્વેદ (રોગોનું
નિવારણ), ગણિત, સમાજશાસ્ત્ર
અને નકારાત્મક શક્તિઓથી બચવાના ઉપાયો છે.
૩. તૃતીય
તબક્કો: 'શાખા
પ્રવર્તક' ઋષિઓ
(જ્ઞાન સાચવનાર)
જ્ઞાન ગુમ ન થઈ જાય તે માટે ઉપરોક્ત ઋષિઓના શિષ્યોએ અલગ-અલગ શાખાઓ (Schools) બનાવી, જેમના નામ
પરથી આજે પણ ગોત્ર અને શાખાઓ ઓળખાય છે. મહર્ષિ પતંજલિ ના પસ્પશાન્હિક (મહાભાષ્ય)
મુજબ વેદોની ૧૧૩૧ થી વધુ શાખાઓ હતી. તેમાં મુખ્ય ઋષિઓ આ મુજબ છે:
(A) ઋગ્વેદના રક્ષક ઋષિઓ :-
ü
ઋષિ શાકલ: જેમણે 'શાકલ સંહિતા' સાચવી, જે આજે
ઋગ્વેદનું સૌથી પ્રમાણભૂત અને ઉપલબ્ધ સ્વરૂપ છે.
ü
ઋષિ બાષ્કલ: ઋગ્વેદની બીજી શાખાના પ્રણેતા.
(B) યજુર્વેદના રક્ષક ઋષિઓ (બે મુખ્ય પ્રવાહ)
ü
ઋષિ
યાજ્ઞવલ્ક્ય: (શુક્લ યજુર્વેદ) તેમણે સૂર્ય નારાયણની તપસ્યા કરીને સીધું
જ્ઞાન મેળવ્યું અને 'વાજસનેયી સંહિતા' ની સ્થાપના કરી.
ü
ઋષિ તિત્તિરિ: (કૃષ્ણ યજુર્વેદ) તેમના શિષ્યો દ્વારા 'તૈત્તિરીય સંહિતા' અને બ્રાહ્મણ ગ્રંથ સચવાયા.
(C) સામવેદના રક્ષક ઋષિઓ
ü
ઋષિ રાણાયની
અને કૌથુમ: ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગો અને સામવેદની ઋચાઓને લયબદ્ધ
રીતે કંઠસ્થ રાખનાર પ્રમુખ ઋષિઓ.
(D) અથર્વવેદના રક્ષક ઋષિઓ
ü
ઋષિ શૌનક અને
પિપ્પલાદ: આ બંને ઋષિઓએ અથર્વવેદની વિખેરાઈ ગયેલી જ્ઞાનશાખાઓને
ક્રમબદ્ધ કરી પૃથ્વી પર જીવંત રાખી.
હિન્દુ ધર્મ સાહિત્યની ઉત્પત્તિ અને વિકાસ તથા
પરંપરા –ભાગ -૧ સમાપ્ત
વધુ આવતાં અંકમાં ભાગ ૨
|| હર હર મહાદેવ ||


Comments
Post a Comment