Posts

વેદનું મૂળ, કાળક્રમે પ્રસારણ તથા હસ્તાંતરણ અને વિષય વસ્તુ

Image
વેદનું મૂળ , કાળક્રમે પ્રસારણ તથા હસ્તાંતરણ અને વિષય વસ્તુ   ૧. વેદોનો પરિચય :- વેદોની વ્યાખ્યા: “ વેદ ” શબ્દનો અર્થ (સંસ્કૃત: ज्ञान - જ્ઞાન): “ વેદ ” શબ્દનો શાબ્દિક અર્થ “ જ્ઞાન ” થાય છે. આ ગ્રંથોને ગહન આધ્યાત્મિક અને દાર્શનિક સમજણના સ્ત્રોત તરીકે પૂજનીય માનવામાં આવે છે. વેદ એ પ્રાચીન ભારતમાં ઉદ્ભવેલા ધાર્મિક ગ્રંથોનો એક મોટો સમૂહ છે. તે હિન્દુ ધર્મના પાયાના ગ્રંથો છે બ્રહ્મા , સૃષ્ટિના સૃજનહર હોવાથી , દિવ્ય જ્ઞાન ભંડાર છે. તેઓ સર્વ જ્ઞાનના મૂળ ઉત્ગમ સ્થાન છે.સ્વયં ભગવાને બ્રહ્માને વેદનુ જ્ઞાન ' પ્રકટ ' કરીયુ હતુ જે બ્રહ્માએ ઋષીમુનીઓને તેમની સમાધી અવસ્થામાં કાળક્રમે દિવ્ય જ્ઞાન શ્રાવણ કરાવ્યું  તેથી જ વેદને શ્રુતિ (જે સંભળવામાં આવે છે) માનવામાં આવે છે , જે તેમના દૈવી મૂળ અને મૌખિક પરંપરા દ્વારા પ્રસારિત થવાનો સંકેત આપે છે. બ્રહ્મા દ્વાર પ્રાપ્ત થયેલુ આ જ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરા દ્વાર પેઢી દર પેઢી આગે વધાર્યુ. બ્રહ્મા ફક્ત સૃષ્ટિના સૃજનહાર જ નથી , પરંતુ શિક્ષણના સિદ્ધાંતોને પણ મૂર્તિ માન કરે છે. જ્ઞાન સૃષ્ટિનુ મહત્વપૂર્ણ અંગ છે અને તે સૃષ્ટિની વ્યવસ્થા અને કાર્યપ્રણાલીને સમજવા...

વાણીના પ્રકાર : વૈખરી, મધ્યમ, પશ્યંતિ અને પરા

વાણીના પ્રકાર : વૈખરી , મધ્યમ , પશ્યંતિ અને પરા આપણે મંત્રોચ્ચાર કરીએ છીએ , માળા કરીએ છીએ , આધ્યામિક પુસ્તકોનું વાંચન કરીએ છીએ તથા મંદીરે આંખો બંધ કરીને દર્શન કરીયે છીએ તેનું મહત્વ શું ? શા માટે ધૂન બોલીએ છીએ ? માળા મોટેથી બોલીને નથી કરતાં ? શા માટે આપણે ભગવાનના ફોટા કે મુર્તીના દર્શન કર્યા પછી આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ છીએ ? આજે આવા પ્રશ્નોનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. પાંચ જ્ઞાનેન્દ્રીય : આંખ , કાન , નાક , જીભ , ત્વચા છે. આમાં જ્ઞાનેન્દ્રિય , મન અને બુધ્ધિ દ્વારા આપણે બાહ્ય જગત સાથે ક્રીયા-પ્રતીક્રીયા કરીયે છીએ.આ ક્રીયા-પ્રતીક્રીયા વ્યક્ત કે અવ્યક્ત રૂપે જ્યારે શબ્દરૂપ કે વિચાર સ્વરૂપ ધારણ કરે છે તેને વાણી કહેવાય છે. મુખ્યત્વે ઋગ્વેદ તેના સ્તોત્રોમાં વાણીના ચાર સ્તરોનો ઉલ્લેખ કરે છે , વૈખરી , મધ્યમ , પશ્યંતિ અને પરા ઋગ્વેદ (૧.૧૬૪.૪૫) શ્લોક કહે છે : - "ચત્વરી વાક પરિમિતા પદાની તાનિ ​​વિદુર બ્રાહ્મણા યે મણિષિણઃ | ગુહા ત્રિનિ નિહિતા નેંગયંતિ તુરીયં વાકો મનુષ્ય વદંતિ ||" અનુવાદ: "વાણી ચાર ભાગમાં વહેંચાયેલી છે. સમજનારા જ્ઞાનીઓ તેમને જાણે છે. તેમાંથી...