Ashtanga Yoga PART:- ૩ PRANAYAM, અષ્ટાંગ યોગ ભાગ ૩ "પ્રાણાયામ-૧"
પતંજલીના આઠ યોગા એટલે અસ્ટાંગ યોગ યમ – નિયમ – આસન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધ્યાન – ધરણા - સમાધી પ્રાણાયામ:- પતંજલિ યોગ સૂત્ર તેના લખાણમાં આધ્યાત્મક જાગૃતિના ઉચ્ચ સ્થાન હાંસલ કરવા માટેના સાધન તરીકે પ્રાણાયામ ઉલ્લેખ કર્યો છે. પ્રાણાયામ એટલે શ્વાસમાં લેવાની પ્રકીયાને નિયંત્રણ કરવાની નિપુણતા. "પ્રાણ"એટલે કે “ શ્વાસ ” શરીરમાં મહત્વપૂર્ણ ઊર્જા છે અને સૂક્ષ્મ સ્તર પર પ્રાણ જીવન કે જીવન બળ માટે જવાબદાર પ્રાણીક ઊર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે. શ્વાસ બહાર કાઢ્વાની પ્રકીયાને “ રેચક ” અને શ્વાસ અંદર લેવાની પ્રકીયાને “ પુરક ” તથા શ્વાસને રોકવાની પ્રકીયાને કુંભક કહે છે. શ્વાસ અંદર લીધા પછી શ્વાસ રોકવાની ક્રીયાને અભ્યાંતર કુમ્ભક કહે છે અને શ્વાસ બહાર કાઢીને રોકવાની ક્રીયા ને બાહ્ય કુમ્ભક કહે છે.કુમ્ભક પર ધ્યાન કેન્દ્રિત ન હોય તેવા બીજા બધા શ્વાસ વ્યવહાર પ્રાણાયામ નથી ગણવામાં આવતા. શ્વાસ ની ઝડપ મુજબ તે 3 ભાગોમાંવહેચાયા છે ( A) શાંત શ્વાસ ( B) લાંબા શ્વાસ ( C) ઉંડા શ્વાસ માં શાંત શ્વાસ:- શરીરમાં બધી જ અંદરની પ્રવૃત્તિઓ સતત ચાલતી દહન અથવા ઉપચયન (ઓક્સિડેશન)