એક દિવસ સાથે નૌકરી કરતા ત્રણ મિત્રો પંડ્યાભાઈ, પટેલભાઈ અને ઝાલાભાઈ પોતાની કારમાં હીલ સ્ટેશન પર ફરવા ગયા અને પાછા ફરતા તેની કાર ઉંડી ખાઈમાં પડતા જ ત્રણેય મિત્રોના મુત્યુ થયુ અને પહોચી ગયા સીધ્ધા યમ રાજાના દરબારમાં ત્યાં યમરાજા ત્રણેયની રાહ જોતાં હતાં.યમરાજાએ કહ્યુ: શ્રી પટેલભાઈ અને શ્રી પડ્યાભાઈને સ્વર્ગમાં લઈ જાવ અને શ્રી ઝાલાભાઈને નર્કમાં લઈ જાઓ. ઝાલાભાઈએ આ સાંભળતા જ તરત યમરાજા પાસે વિરોધ કર્યો અને યમરાજાને આવો ભેદભાવ શા માટે ? તેવો પ્રશ્ન કર્યો. અમે હમેંશા એક સરખું જ કાર્ય કર્યુ છે. ઓફીસ રાજકારણમાં, લોકોના કામ કરવામાં લાંચ, તથા બોસની ચમચાગીરી અને ઓફીસમાં અન્ય કાર્મચારીની બોસ પાસે ખોટી હલકી અને ખોટી કાનભંભેરણી બધું જ સરખુ કર્ય છે તો પછી અમારી સાથેનો વ્યવહાર અલગ અલગ શા માટે ? છતાં પણ તમારે નિર્ણય કરવામાં તકલીફ પડતી હોય તો પરીક્ષા લો ? યમરાજાને પણ લાગ્યુ કે આ વાત સાચ્ચી છે પૂર્વનિયોજીત કાલ્પિક નિર્ણય લેવો સારો નહી તેથી તે પરીક્ષા લેવા તૈયાર થઈ ગયા પણ યમરાજાએ સરત મુકી કે દરેકને ફક્ત ત્રણ જ પ્રશ્ન મુછવામાં આવશે અને તેનુ જે પરીણામ આવશે તે સર્વને સ્વિકાર કરવો પડશે. ત્રણેય મિત્રો યમરાજા
Posts
Showing posts from November, 2011
આ પણ પસાર થઈ જશે "THIS SHALL TOO PASS"
- Get link
- Other Apps
એક દિવસ રાજાએ પોતાના રાજ્યમાં આવેલ સર્વ બુધ્ધિમાન તથા મહાન ઋષિમુનીઓને રાજ દરબારમાં બોલાવ્યા . સર્વને આદર સત્કાર કર્યા પછી રાજાએ પ્રશ્ન કર્યો કે “ કોઈ એવો મંત્ર છે કે જીવનની કોઈપણ સંજોગો , પરીસ્થિતિ , સ્થળ કે સમયે , કામ આવે ? સુખ કે દુઃખ , હાર કે જીત કોઈ પણ પરિસ્થિતિ માટે બસ એક જ મંત્ર જે તમારી બધાની ગેરહાજરી હોય ત્યારે મને સાચ્ચી સલાહ આપે અને મારી મદદ કરે . જો કોઈ એવો મંત્ર હોય તો મને જણાવો . રાજાનો આવો પ્રશ્ન સાંભળીને રાજસભાના બધા જ બુધ્ધિમાન તથા ઋષિમુનિઓ સ્ટબ્ધ થઈ ગયા . બહુ લાંબી ચર્ચા વિચાર્ણાને અંતે એક વૃધ્ધ માણસે એવું સૂચન કર્યું જે બધાએ માન્યુ . તે ઉભો થયો અને રાજા પાસે ગયો તેણે નાનકડા કાગળમાં કાંઈક લખેલ હતું તે રાજાને જિજ્ઞાસાને લીધે જોવુ નહીતે શરતે આપ્યું. જ્યારે રાજા ફક્ત એકલો જ હોય અને કોઈ આત્યંતિક ભય હોય અને કોઈ રસ્તો બચતો ન હોય અને પોતાની જીંદગીનો નિર્ણાયક ક્ષણ હોયઅથવા રાજા પર જીવન કે મરણનો સવાલ હોય ત્યારે ચીઠ્ઠીને ખોલી વાંચવી . રા