દરેક માણસ કોઈ ને કોઈ અસલામતીમાં જીવે છે "Never feel Unsafe about LIFE"
દરેક માણસ કોઈ ને કોઈ અસલામતીમાં જીવે છે હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ? કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી. વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું , અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ? - બરકત વીરાણી ‘ બેફામ ’ જિંદગી અનિશ્ચિતતા અને અસલામતીથી છલોછલ છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાતે અસલામતીનો અહેસાસ થાય છે. દરેક વ્યક્તિ કોઈ અજાણ્યા ભયમાં જીવે છે. આમ થશે તો ? તેમ થશે તો ? આટલાં વર્ષો મેં જે મહેનત કરી છે તેના ઉપર પાણી ફરી જશે તો ? મારી પાસે જે છે તે હું ગુમાવી દઈશ તો ? જાત જાતના ડરને કારણે માણસ તેની ‘ નેચરલ લાઇફ ’ જીવી શકતો નથી. બધા જ જાણે છે કે દુનિયામાં કંઈ જ સલામત કે સિક્યોર્ડ નથી , જિંદગી જ ક્યાં સિક્યોર્ડ છે ? હવે પછીની ક્ષણોમાં શું થવાનું છે એની તમને ખબર છે ? ના , આપણને ખબર નથી , તો પછી સતત ડરવાનું શા માટે ? અસલામતી કે અનિશ્ચિતતા એ ડરવાની વસ્તુ નથી , સમજવાની વસ્તુ છે , કારણ કે એ તો હાજર જ છે. તમે તેનાથી ભાગીને ક્યાંય જઈ શકવાના જ નથી. તમે ભાગશો તો પણ એ તમને પકડી લેશે. અસલામતીથી જરા પણ ડરો કે ડ