Ashtanga Yoga DHYAN, અષ્ટાંગ યોગ "ધ્યાન"
યમ – નિયમ – આસન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધરણા - ધ્યાન - સમાધી DHYAN ધ્યાન ધ્યાન નો મુખ્ય હેતુ આપણા મનને શાંત કરવાનો છે અને છેલ્લે જાગરૂકતા અને આંતરિક શાંતિના ઉચ્ચ સ્થાન હાસિલ કરવો છે.આપણને જાણને આશ્ચર્ય થાય કે ધ્યાન ગમે ત્યારે , ગમે તે જગ્યાએ કરી શકીએ છીએ અને આપણી આસપાસ ગમે તેવા વાતાવરણમાં ધ્યાન દ્વારા આપણે મન અને હૃદયની પરમ શાંતિ અનુભવી શકીએ છીએ. આપણે અહી ફક્ત મૂળભૂત ધ્યાન વિશે જાણીશું. શાંતિપુર્ણ વાતાવરણ પસંદ કરવું ધ્યાન માટે શાંત અને શાંતિપૂર્ણ વાતવરણમાં ધ્યાનની અભ્યાસ કરવો જોઈએ. આવુ વાતવરણ આપણને ધ્યાન પર જ મન અને ચિત કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે અને મન માટેના બહારના ઉત્તેજનાત્મક પરીબળોના તોપમારાથી બચી શકાય છે.ધ્યાન માટેઅની જગ્યાનું વાતાવરણ એવુ હોવુ જોઈએ કે જેથી આપણે જેટલા સમય માટે ધ્યાન કરવાનું હોય તેટલા સમય માટે વચ્ચે કોઈપણ પ્રકારનો અડચણ કે વિક્ષેપ પડે નહી.ધ્યાન માટે કોઈ મોટી કે વિશાળ જગ્યાની જરૂર નથી પણ નાની હવા ઉજાશ વાળી ઘોંઘાટ વગરની રૂમ ચાલે. નવા અને ધ્યાનમાં જે લોકોએ નિપુણતા મેળવેલ નથી તેઓએ બહારના વીક્ષેપક પરિબળો જેવા કે ટેલીવિજન , મોબાઈલ