Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)
પાંચ વાયુને અને શરીર ઉર્જાને સંતુલીત કરવામાં અગત્યનો ભાગ ભજવતી મુદ્રાનો અભ્યાશ પણ જરૂરી છે તેથી તેની સંક્ષીપ્ત માહીતી આપેલ છે . મુદ્રાઓ બ્રહ્માંડીય ઊર્જા જાગાડીને આત્મા નું પરમાત્મા સાથે એકીકૃત થવામાં મદદ કરે છે. સર્વોચ્ચ વિજ્ઞાન જે માણસના મન અને મગજનો બહારથી અને અંદરથી તેનો અભ્યાશ કરે છે. આવા વિજ્ઞાન છે (૧) મુદ્રા વિજ્ઞાન: આંગળીની સ્થિતિ વિજ્ઞાન (2) કાયાકલ્પ વિજ્ઞાન એટલે પુન:શક્તિ સંચાર વિજ્ઞાન (3) બ્રહ્મ વિજ્ઞાન એટલે દિવ્ય જ્ઞાનનુ વિજ્ઞાન (4) પ્રાણવિનિમય વિજ્ઞાન એટલે બિમાર અને ખામીયુક્તને સાજા કરવાનું વિજ્ઞાન (5) સુર્ય વિજ્ઞાન એટલે સુર્ય શક્તિનું વિજ્ઞાન (6) પુન:જન્મ વિજ્ઞાન (7) દિર્ઘાયુ વિજ્ઞાન (8) સ્વર વિજ્ઞાન (9) રસાયન વિજ્ઞાન (10) મંત્ર વિજ્ઞાન (11) સમ્યાદ પ્રેશણ વિજ્ઞાન એટલે કેવળ મનથી વિચારોની આપ-લે ટેલીપથીનું વિજ્ઞાન શરીર પાંચ તત્વો આગ , વાયુ , આકાશ , પૃથ્વિ , અને જળ નું બનેલ છે. જેમાં ઘણા પ્રાચીન વિજ્ઞાનમાં આ પાંચ વાયુ ને સમતોલ કરીને સ્વસ્થ શરીર રાખવાના ઉપાય બતાવેલ છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આગળી પ્રતિનિત્વ કરે છે. જેમાં અંગૂઠો આગનું , તર્જની(અંગુઠા