Posts

Showing posts from October, 2011

નેવુઃ દસનો નિયમ અપનાવો અને આપનુ જીવન બદલાવો.

નેવુઃ દસનો નિયમ અપનાવો અને આપનુ જીવન બદલાવો. લાખો લોકો તણાવ, તાણ તથા હદય રોગનાં શિકાર બને છે.તેઓ કદી સફળતા પ્રાપ્ત કરતાં નથી.ખરાબ દિવસો પાછળ હમેંશા ખરાબ દિવસો આવતાં રહે છે.તેઓ માથે હમેંશા કઈને કઈ આફત આવતી રહે છે. તેઓની જીંદગીમાં હમેંશા ટુટેલા સંબધો,તણાવભરી,દુખભરી હોય છે.ચિંતા સમય બગાડે છે અને ગુસ્સો સબંધો બગાડે છે,જિંદગી કંટાળાજનક અને જીવનમાં આનંદની અનુભુતી થતી નથી. જો તમારી સાથે કાંઈક આવુજ થતુ હોય તો નિરાસ થવાની જરૂર નથી. તમે આવા માણસોની જિંદગી કરતાં સારી જિંદગી તથા સફળતા પ્રાપ્ત કરી અને સારા મિત્રો બનાવી શકો છો. કેવી રીતે?????? નેવુઃદશ ના સિધ્ધાંતને સમજો તથા તેનુ પાલન કરો. જે તમારી જિંદગી બદલી નાખશે !!!!!! આ રહ્યુ નેવુઃદશ ના સિધ્ધાંતનુ રહસ્ય.................... આપણી જિંદગીમાં આપણી સાથે જે કંઈ બને છે તેના દસ ટકા આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં હોતુ નથી.પરંતુ નેવુ ટકા આપણે તે ઘટનાનો પ્રત્યુતર કે પ્રતિક્રીય કેવી આપીશુ તેના ઉપર હોય છે. તમને થશે આનો શુ અર્થ ? આનો અર્થ એ કે આપણી સહુની જિંદગીમાં જે કઈ બને છે તેના દશ ટકા ઉપર આપણુ કોઈ નિયંત્રણ હોતુ નથી.આપણે મોટરમાં જતાં હોય અને મોટરની...