વાણીના પ્રકાર : વૈખરી, મધ્યમ, પશ્યંતિ અને પરા
વાણીના પ્રકાર : વૈખરી , મધ્યમ , પશ્યંતિ અને પરા આપણે મંત્રોચ્ચાર કરીએ છીએ , માળા કરીએ છીએ , આધ્યામિક પુસ્તકોનું વાંચન કરીએ છીએ તથા મંદીરે આંખો બંધ કરીને દર્શન કરીયે છીએ તેનું મહત્વ શું ? શા માટે ધૂન બોલીએ છીએ ? માળા મોટેથી બોલીને નથી કરતાં ? શા માટે આપણે ભગવાનના ફોટા કે મુર્તીના દર્શન કર્યા પછી આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ છીએ ? આજે આવા પ્રશ્નોનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. પાંચ જ્ઞાનેન્દ્રીય : આંખ , કાન , નાક , જીભ , ત્વચા છે. આમાં જ્ઞાનેન્દ્રિય , મન અને બુધ્ધિ દ્વારા આપણે બાહ્ય જગત સાથે ક્રીયા-પ્રતીક્રીયા કરીયે છીએ.આ ક્રીયા-પ્રતીક્રીયા વ્યક્ત કે અવ્યક્ત રૂપે જ્યારે શબ્દરૂપ કે વિચાર સ્વરૂપ ધારણ કરે છે તેને વાણી કહેવાય છે. મુખ્યત્વે ઋગ્વેદ તેના સ્તોત્રોમાં વાણીના ચાર સ્તરોનો ઉલ્લેખ કરે છે , વૈખરી , મધ્યમ , પશ્યંતિ અને પરા ઋગ્વેદ (૧.૧૬૪.૪૫) શ્લોક કહે છે : - "ચત્વરી વાક પરિમિતા પદાની તાનિ વિદુર બ્રાહ્મણા યે મણિષિણઃ | ગુહા ત્રિનિ નિહિતા નેંગયંતિ તુરીયં વાકો મનુષ્ય વદંતિ ||" અનુવાદ: "વાણી ચાર ભાગમાં વહેંચાયેલી છે. સમજનારા જ્ઞાનીઓ તેમને જાણે છે. તેમાંથી...