Ashtanga Yoga PART:- ૩ PRANAYAM, અષ્ટાંગ યોગ ભાગ ૩ "પ્રાણાયામ-૨



પ્રાણાયામ મુખ્ય ૬ પ્રકાર છે અને તેમાંથી જ અન્ય પ્રાણાયમની શાખાઓ કે તકનિક નો વિકાશ થયેલ છે. આ મુખ્ય પ્રાણાયમ આ પ્રકારે છે.
(૧) ભસ્ત્રિકા પ્રાણાયામ
ભાસ્ત્રિકા નો અર્થ થાય છે ધમણ . આ પ્રાણાયામમાં લુહારની ધમણની જેમ અવાજ કરીને વેગથી સુધ્ધ શ્વાસને અંદર અને અસુધ્ધ હવાને બહાર કાઠવામાં આવે છે.
પ્રક્રીયા
એક દમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય.બન્ને નસકોરથી શ્વાસ અંદર લો અને ફેફસા પુરા હવાથી ભરી દો.શ્વાસસન પડદો પુરો ફુલાઈ જાય ત્યાં સુધી શ્વાસને અંદર ભરો. પછી ધીમે ધીમે શ્વાસને છોડો.ફરીથી આ જ ક્રમમાં કરવુ. આ પ્રણાયામ ત્રણ ગતિથી કરી શકાય. ધીમે ધીમે ,મધ્યમ અને તીવ્ર ગતિ. જેના ફેફસા નબળા હોય તેને રેચક અને પુરક ધીમે ધીમે કરતા કરવુ અને જુના અભ્યાસુ અને સ્વસ્થ માણસોએ મધ્યમ થી શરૂ કરીને તીવ્ર સુધી પહોચી શકાય. આ પ્રણાયામમાં સાવધાની એ રાખવાની કે શ્વાસ ફેફસામાં ભરવાનો છે નહી કે પેટમાં.પેટની હલન ચલન કે ફુલાવુ જોઈએ નહી. શ્વાસની ગતિ બન્ને સમયે એટલે કે રેચક અને પુરકમાં એક સરખી હોવી જોઈએ નહી. હવા સુધ્ધિ માટેની વ્યવસ્થા ફેફસામાં હોય છે નહી કે પેટમાં તેથી પેટમાં હવા ભરવાથી આ પ્રાણાયામનો પાયાનો સિધ્ધાંત જ ખોટો સાબિત થાય છે તેથી ફાયદો દેખાતો નથી. દરેક પ્રાણાયમ કરતી વખતે ખુસીનો અનુભવ થાવો જોઈએ અને મનને બ્રહ્મ સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાથમાં “ઔમ” નો જાપ કરવો જોઈએ.
સમય અવધિ:- દરરોજ ૩-૫ મિનિટ કરવો જોઈએ.
લાભ:- 
આ પ્રણાયામથી પ્રાણવાયુ ઓક્સિજન દરેક અવયવને વધુ મળતો થાય છે તેથી દરેક અવયવમાંથી ઝેરીલા પદાર્થ બહાર નિકળી જાય છે.
આ પ્રાણાયામથી શ્વસન પડદોને કસરત થવાથી સારી રીતે કામ કરે છે તેથી પાચનતંત્ર સુધારે છે.  
માથાના સબંધીત કોઈપણ પ્રકારના દુખાવા માટે ઉપયોગી છે
વાયુ, પિત, કફના દોષો દુર થાય છે અને પાચંતંત્ર ,લીવર અને કીડનીની કસરત થાઈ જાય છે તેથી સ્વસ્થ રહે છે. સ્નાયુ સમ્બધિત રોગોને દુર કરે છે.
સાવધાની:- ભસ્ત્રિકા પ્રાણાયામ કરતાં પહેલા નાક સાફ કરી લેવુ. ક્ષમતા કરતા વધારે કરવા નહી. કોઈપણ પ્રાણાયામ કરતા શરીરને ઝાટકો દેવો નહી. શ્વાસ લેવો અને છોડવનો સમય સરખો હોવો જોઈએ. હાઈ બીપી તથા હદય રોગીઓને ધીમેધીમે કરવાં
(૨) કપાલભાતી પ્રાણાયામ
આપણે જોયુ તેમ કપાલભાતિ પ્રાણાયમને  છ ક્રીયા માં સમાવેશ કરવામાં આવેલ છે (1) ત્રાટક (2) નેતી (3) કપાલભાતી (4) ધૌતી (5) બસ્તિ (6) નૈલી. 
વજ્રાસન કે સુખાશન કે પદ્મશનની બેઠકમાં કરી શકાય. શ્વાસને બહાર છોડતી વખતે પેટને અંદર ધક્કો મારવાનો છે. શ્વાસને પ્રયત્ન પુર્વક અંદર લેવાનો નથી અને ફક્ત બહાર છોડવાનો છે અને શ્વાસ તેની મેળે જ અંદર આવી જાશે. મગજના ખોપરીની અગ્રવર્તી ભાગને કપાળ કહેવાય છે, ભાતિનો અર્થ જ્યોતિ કે તેજ થાય છે.કપાલભાતિ પ્રાણાયામ સતત ચહેરાની સુંદરતા વધારે છે કપાલભાતિ પ્રાણાયમ કરતિ વખતે મુલાધાર ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે જેથી મુલાધાર ચક્ર જાગૃત થઈને કુંડલી શક્તિ જાગૃત કરવામાં મદદ થાય છે.  કાપાલભાતિ પ્રાણાયમને પૃથ્વી પરની સંજીવની પ્રાણાયામ કહે છે. કપાલભાતિ પ્રાણાયામ એ તેજ ગતિની રેચક પ્રક્રિયા છે.  
સમય અવધિ:- દરરોજ ૫-૧૦ મિનિટ ( અતિ પ્રયત્ન કરીને કરવા નહી)
લાભ :- વાળની સમસ્યાનુ સમાધાન. ચહેરા પરની કરચલી અને આંખોની નીચે કાળા ડાઘા દુર થાય છે આંખોની દરેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ છે દાંતોની દરેક પ્રકારની સમસ્યાઓ દુર કરે છે. જાડાપણુ દુર થાય છે. હીમોગ્લોબિન અને કેલ્સિયમ ઉત્પાદનને નિયમિત કરે છે. કબજીયાત અને ગેસની બીમારી કાયમી માટે મટે છે. કોલેસ્ટ્રોલની સમસ્યાઓ દુર થાય છે થાઈરોડની સમશ્યા દુર થાય છે
(૩) અનુલોમ વિલોમ પ્રાણાયમ :-
અનુલોમ નો અર્થ થાય છે સિધ્ધા અને વિલોમ નો અર્થ થાય છે ઉંધો અથવા ઉલટા. અહી સિધ્ધા અને ઉલ્ટા આપણા નાકના નસકોરા સમ્બધિત છે. સિધ્ધાનો અર્થ થાય છે જમણુ નસકોરૂ અને ઉલ્ટાનો અર્થ થાય છે ડાબુ નસકોરૂ. વજ્રાસન કે સુખાશન કે પદ્મશનની બેઠકમાં કરી શકાય.અનુલોમ વિલોમ પ્રાણાયામમાં જો જમણા નશકોરાથી શ્વાસને અંદર લેવામાં આવે છે તો ડાબા નશકોરાથી બહાર કાઢવામાં આવે છે અને જો ડાબા નસકોરાથી શ્વાસને અંદર લેવામાં આવે છે તો જમણા નશકોરાથી બહાર કાઢવામાં આવે છે.અનુલોમ વિલોમ પ્રાણાયામને કેટલાક યોગી નાડીશોધક પ્રાણાયમ પણ કહે છે કારણકે આ પ્રાણાયામ કરવાથી શરીરની દરેક નાડી સુધ્ધ થાય છે. પ્રાણાયામની શરૂઆત અને અંત ડાબા નશકોરાથી કરવાની છે. જમણુ નશકોરૂ હાથના અંગુઠાથી બંધ કરો અને ડાબા નશકોરાથી ઉંડા શ્વાસ અંદર લો અને હવે ડાબુ નશકોરૂ પ્રવિત્રી આંગળીથી બંધ કરો અને જમણા નશકોરાથી શ્વાસને બહાર કાઢો. હવે આનાથી વિરૂધ્ધ ફરીથી કરો. આમ વારા ફારતી નિયમિત ક્રમમાં ૧૦-૧૫ મિનિટ કરો.શ્વાસ લેતી વખતે ધ્યાન બે આંખો વચ્ચે આવેલ આજ્ઞા ચક્રમાં કેંદ્રીત કરવુ અને મનો મન ૐ નો જાપ કરવો. શ્વાસ ભરવાની અને બહાર કાઢવાની પ્રકીયા એટલી સહજ હોવી જોઈએ કે લોટ જેવી બારીક વસ્તુ જો સામે હોય તો તે પણ ઉડવી કે નાંકની અંદર ના જાય. અશક્ત કે એનિમિયા ના દર્દીઓએ ધીમે ધીમે કરવા
લાભ :
આપણા શરીરમાં ૭૨,૭૨,૧૦,૨૧૦ સુક્ષ્મ નાડી હોય છે તેની સફાઈ કે સુધ્ધ થાય છે..હૃદયની નાડીમાં અવરોધ કે બંધ હોયા તો ખુલી જાય છે.ઉંચા કે નિચા લોહીના દબાણની તકલીફ મટે છે
વાંકાચુકા અસ્થિબંધન સિધ્ધા થાય છે. વા,સાંધાની બીમારી જેવી કે આર્થરાઈટીસ રોમેટોર કે અસ્થિમજાનો ઘસારો ઠીક થાય છે.માથાનો કોઈપણ દુખાવો મટે છે. કીડની કુદરતી રીતે સ્વચ્છ થાય છે તેથી ડાયાલીસીસ ની જરૂર પડતી નથી. કોલેસ્ટ્રોલ કે અસુધ્ધિઓ શરીર ની બહાર નિકળી જાય છે. સાયનસની બીમારી ઢીક થાઈ જાય છે.     
(૪) ભ્રામરી પ્રાણાયામ
એક દમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય. ભ્રામારી પ્રાણાયામ માં શ્વાસ છોડતી વખતે ભમરા જેવો અવાજ કરવામાં આવતો હોવાથી ભ્રામરી પ્રાણાયામ કહેવાય છે.
લામ્બી અને ઉંડી શ્વાસ ફેફસામાં પુરી ભરી લો. બન્ને હાથના અગુઢાથી બન્ને કાન બંધ કરી દો. બન્ને હાથની પ્રહેલી  અને મધ્ય આંગળી આંખો પર રાખો અને પવિત્રી અને ટચલી આંગળી હોઢો પર રાખો.થોડી સેકંડ માટે શ્વાસ રોકી લો. હવે ભમરાની જેમ ગણગણાટ સાથે શ્વાસ બહાર કાઢો. અને શ્વાસને બહાર જ થોડી વાર માટે રોકી રાખો. ધ્યાન રાખો કે શ્વાસ બહાર કાઢતી વખતે અવાજના ગણગણાટની લય અને સાતત્ય ટુટવુ જોઈએ નહી.ધ્યાન બે નેણ ની વચ્ચે કેંદ્રીત કરવુ.મનમાં વિચારવાનુ કે અતરાત્મક સુખ અને શાંતી નો અનુભવ થાય છે.  શરૂઆતમાં ૫-૭ ચક્ર જા કરવા.  ભ્રમારી પ્રાણાયામ સુતા સુતા કદી કરવઓ નહી અને કાનમાં દુખાવો કે પાક હોય તો કરવો નહી.
લાભ:- સકારાત્મક ઉર્જા મળે છે.માનસીક રોગોમાં ફાયદો થાય છે. માઈગ્રેન, ડીપ્રેશન તથા માથાના દરેક વ્યાધી માટાડે છે. મન અને મસ્તિક્ની શાંતિ મળે છે.
(૫) બાહ્ય પ્રાણાયામ :
 એકદમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય.શ્વાસને બહાર કાઢો.દાઠીને ગળાને અડાડી(જલંધર બંધ)  દો.થોડા નમીને બન્ને હાથ ઢીચણ પર રાખીને પેટની અંદરની તરફ ખેચો. પેડુ અથવા બસ્તિપ્રદેશને ઉપારની તરફ ખેંચો અને મૂલ બંધ લાગાવો.ત્રણેય બંધ નો ઉપયોગ એટલે જ બાહ્ય પ્રણાયમ. શ્વાસને બહાર છોડીને પેટને હાડકા સાથે ચોટી જાય તે રીતે  અંદર લો. થોડી વાર શ્વાસને આ રીતે રોકી રાખી શ્વાસને છોડી દો.હદય રોગી તથા ઉંચા લોહી દબાણ વાળા માણસોને આ પ્રણાયામ કરવો નહી.
લાભ:- બાહ્ય પ્રાણાયમ કરવાથી કપાલભાંતિ પ્રાણાયામના દરેક લાભ થાય છે. પેશાબ સમ્બંધીત દરેક બિમારી મટે છે.
(૬) ઉદગીથ પ્રાણાયામ
શ્વાસોશ્વાસની સામાન્ય પ્રક્રીયા એટલે જ  ઉદગીથ પ્રાણાયામ.પણ પ્રાણાયમ કરતી વખતે ૐ નો મનમાં જાપ કરવો એટલે જ તેને “ઓમકારી” પ્રાણાયામકહે છે. એકદમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય ઉદગીથ પ્રાણાયામમાં શ્વાસ લાંબા,શાંત,ધીમાં અને સુક્ષ્મ રીતે લેવાના હોય છે. ઉદગીથ પ્રાણાયામમાં સતત અભ્યાશથી શ્વાસ લઈને અને બહાર કાઠવાનો બન્ને થઈને પુરી એક મિનિટનો થાવો જોઈએ. શ્વાસ આવે અને જાય તેનો અનુભવ કરવાનો પ્રયત્ન કરો.અભ્યાશથી શ્વાસ અંદર અને બહાર જાય તેનો માર્ગ નો અનુભવ થાશે.   
સમય અવધિ: ઓછામાં ઓછા ૩ વખત કરવા જોઈએ અને વધુમાં વધુ જ્યારે આપણે પુરા ઓમકાર મય થઈ જાય ત્યાં સુધી કરી શકાય.
લાભ:- નીંદ્રા સુધરે છે એટલે કે અનિદ્રા જેવા રોગો માં ફાયદો થાય છે. મનની એકાગ્રતા વધે છે. યોગ નીંદ્રા નો અનુભવ થાય છે.
(7) પ્રણવ પ્રાણાયામ
એકદમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય.આંખો બંધ કરો. શાંતિથી બેસો. તમારી કુદરતી રીતે શ્વાસન કરો. ભગવાન માં ધ્યાન કેંદ્રીત કરો . ભગવાન બાધે જ છે અને તેની હાજરી અનુભવવાની કોશીશ કે પ્રયત્ન કરો.આ દુનીયામાં બધુ જ  ૐ કારના આકાર નુ છે. શ્વાસન ના માર્ગ ને અનુભવાવાની કોશીશ કરો અને ધ્યાન ૐ માં રાખો.
સમયાવધિ:- ૩-૪ મીનીટ નિયમિત
લાભ:- આધ્યામિક વિકાશ અને આપણી દરેક વસ્તુ જોવાની દ્રષ્ટિકોણ નો વિકાશ થાય છે.   
આપણે જ્યારે શ્વાસન પ્રકીયા કરીયે છીએ ત્યારે જે હવા શરીરમાં પ્રવેશે છે તે પાંચ ભાગોમાં વહેચાય જાય છે અથવા પાંચ સ્થાનો પર સ્થિર થઈ જાય છે આ પાંચ સ્થાન છે (1) વ્યાન (2) સમાન (3) અપાન (4) ઉદાન (5) પ્રાણ

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka