હિન્દુ ધર્મ અને તેના વિભાગ OR HINDU SCHOOL & ITS MAIN BRANCHES
હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ છે.
લોહ
યુગ દરમ્યાન વેદોનો ઉદભવ લગભગ ૪૦૦૦ વર્ષો પહેલા થયો હોય તેવુ માનવામાં આવે છે. ઘણા
વૈચારકોનું માનવું છે કે વેદોનો ઉદભવ ૬૫૦૦ વર્ષો પહેલા થયો હોવો જોઈએ કારણકે ભગવાન
શ્રીકૃષ્ણનો સમય ગાળો ૫૩૦૦ વર્ષોનો પહેલાનો હોવાની સાબીત થયેલ છે અને ત્યાર પહેલા વેદ
વ્યાસ ઋષિએ વેદનું ચાર વેદોમાં વિભાજન કર્યં હતું.
જૈનધર્મ
ને લગભગ ૨૮૦૦ વર્ષોનો અને બૌધધર્મ ૨૪૦૦ વર્ષો પહેલા અને ઈસાઈ ધર્મ ૨૦૦૦ વર્ષો પહેલા
અને મુસ્લિમ ધર્મ ૧૪૦૦ વર્ષો પહેલાનો છે.(દરેક ધર્મનો સમય
ગાળો અલગ અલગ હોય શકે છે.આ કોઈ સચોટ કે ચર્ચા કે વિવાદ કરવા માટે નથી ફક્ત સમજવા માટે
છે ગણતરી ભુલ ક્ષમા કરશો)
આ ધર્મે જીવન
જીવવાના શાશ્વત નિયમ આપેલ છે, રોજીંદા જીવનમાં
પાળવાના શાશ્વત નિયમ આપેલ છે અને કોઈપણ નાત,જાત કે વર્ગના ભેદભાવ વગર દરેક
મનુષ્યે જેને ઉતમ ગતિ પ્રાપ્ત કરવા કે ઉતમ જીવન જીવવા માંગે છે તેના માટે શાશ્વત રસ્તાઓ
અને ફરજોનો સ્પષ્ટ ઉલેખ કરાયેલ છે. મનુષ્યના કર્મના આધાર પર ભગવાન મનુએ ચાર ભાગ પાડ્યા
જેને વર્ણ કહેવાય છે જેમાં બ્રાહ્મન,ક્ષત્રિય,વૈષ્ય અને શુદ્ર આ ચાર ભાગના મનુષ્યના કર્મના અને મનુષ્યની ફરજ અને કર્મના
શાશ્વત નિયમ અને વર્ણ વચ્ચેના આંતરીક સંબધો માટેના સ્પષ્ટ શાશ્વત નિયમ આપેલ છે જેને
આપણે “મનુ સ્મુતિ” તરીકે જાણીએ છીએ. એજ રીતે દરેક વર્ણના મનુષ્યના જીવન જીવવાના ચાર
તબક્કામાં વિભાજીત કારેલ છે જેમાં બ્રહ્મચાર્ય, ગૃહસ્થ ,
વાનપ્રસ્થાન, અને સન્યાંસ આશ્રમ તરીકે અને દરેક
આશ્રમમાં પાળવા પડતા ખાવાના અને પિવાના,સુવાના એટલે કે જીવનાના
વહેલી સવારથી રાત્રી સુધીના નિયમ નિત્ય કર્મો કરવાના નિયમ આપેલ છે. હીન્દુ લખાણ કે
શાસ્ત્ર મુખ્યત્વે શ્રુતિ અને સ્મિતિમાં વિભાજીત થાય છે જે ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન,પૌરાણિક,વૈદિક યજ્ઞ, વિધિ અને મંદિરોનું નિર્માણ વગેરે વિશે લખાણ
છે.
વૈદિક
વિચાર ધારા આમતો ઈન્ડો-આર્યન ધર્મ છે અને તેનો ઉદભવ કાળ ૧૭૫૦ થી ૫૦૦ સામાન્ય યુગ પહેલાનો
ગણવામાં આવે છે. વૈદિક વિચાર લગભગ ૩૭૦૦ વર્ષ
જુનો છે અને ૨૫૦૦ વર્ષો પહેલા તેનો અંત આવેલ. વૈદિક વિચાર ધારા પછી હીન્દુવાદની શરૂઆત
થઈ જેનો સમય ગાળો ૨૮૦૦ વર્ષો થી ૧૨૦૦ વર્ષોનો છે. આ વર્ષો દરમ્યાન ઘણા નવા વિચાર હીન્દુ
વિચાર ધારા સાથે જોડાયા જેમકે કર્મ,પુનઃજન્મ,વ્યક્તિગત દિવ્ય જ્ઞાનપ્રાપ્તી, કાયાપલટ જેવા વિચાર વૈદિક
યુગમાં નહોતાં .
વૈદિક સનાતન
તત્વજ્ઞાન મુળભુત આને રૂઢિચુસ્ત રીતે છ આસ્તિક દર્શન માં વહેચાયેલ છે જેનો આધાર
“વેદ” છે અને આ છ આસ્તિક
દર્શન “વેદ”ને સર્વોતમ શાસ્ત્ર તરીકે સ્વિકારે છે. ત્રણ નાસ્તિક દર્શન છે જે “વેદ”ને
સર્વોતમ શાસ્ત્ર તરીકે સ્વિકાર કરતાં નથી પણ
બીજા પુસ્તક કે વિચાર ધારા પર આધારિત છે.
છ
આસ્તિક દર્શન કે સમ્પ્રદાય આ પ્રમાણે છે
(૧) સાંખ્ય દર્શન :-નાસ્તિક અને મજ્બુત રીતે દ્વૈતવાદી
અને ચૈતન્ય
અને દ્રવ્યના સંશર્ગ પર આધારિત છે. કપિલ ઋષિએ સાંખ્ય દર્શન ગ્રંથ લખેલ છે.
(૨) યોગા:- આ વિચારધારા ધ્યાન, ચિંતન અને મોક્ષ કેન મુક્તિ પર ભાર આપે છે પતંજલી ઋષિ એ અષ્ટાંગ યોગા
આપેલ તે યોગા દર્શન નો ભાગ છે
(૩) ન્યાય સુત્ર:- તર્ક અથવા ન્યાય જ્ઞાનનો સ્ત્રોત
અથવા સાધન વિશે સંશોધન કરવું તે આ દર્શન નો ભાગ છે.
(૪) વૈશેષિક દર્શન અથવા અણુવાદ:- વૈશેષિક દર્શન સૌથી
પહેલા મહર્ષિ કણાદ એ લખ્યુ હતું પ્રયોગમુલક અથવા અનુભવ પર અધારિત આ દર્શન પ્રમાણે દરેક સ્થુળ પદાર્થ કોઈ નાનામાં
નાના કણમાં વિભાજન પામે છે.
(૫) મિમાંશા :- મીમાંશા નો અર્થ થાય છે “શોધવું” પક્ષ પ્રતિપક્ષ દ્વારા વેદવાક્ય નો
ચોક્કશ અર્થ થાય છે મિમાંશા. એ દર્શન
પ્રમાણે ભગવાનના અસ્તિત્વ વિશે નહી પણ માણસના ગુણ પર વધારે ભાર દેવાનો થાય
છે.
(૬) વેદાંતા:- જ્ઞાન દર્શન નો છેલ્લો ભાગ છે તેમાં વેદ,જ્ઞાન, કર્મના સિધ્ધાંતો મુખ્ય છે. આ દર્શનનું મધ્યયુગીન
પછીથી પ્રભુત્વ દેખાણું
ત્રણ નાસ્તિક દર્શન માં ચાર્વાક દર્શન , જૈન ધર્મ અને બુધ્ધ ધર્મ નો સમાવેશ થાય છે.
(૧) ચાર્વાક દર્શન:- પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. પરલૌકીક કે ભગવાનના અસ્તિત્વને
સ્વિકારતા નથી.ચાર્વાક દર્શન માં છ દર્શન નો સમાવેશ થાય છે (૧) ચાર્વાક (૨)
માધ્યમિક (૩) યોગાચાર (૪) સાત્રાતિક (૫) વૈભાષીક (૬) આર્હત જેમાં વેદ સાથેના
અસહમતિના સિધ્ધાંતો લખેલા છે.
(૨) જૈન ધર્મ :- જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે
છે. જૈન ધર્મના નિયમોને માની તેનું પાલન કરનારાના વ્યક્તિઓને શ્રાવક અને શ્રાવિકા
કહે છે. પ્રથમ
તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે આ ધર્મના મૂખ્ય બે સંપ્રદાય છે, શ્વેતાંબર
અને દિગંબર. જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સાથે વિશેષ સામ્ય ધરાવે છે. નવકાર મંત્ર એ જૈન ધર્મના અનુયાયીઓ
માટેનો આધારભૂત મંત્ર છે, આ
મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધાજ સર્વોચ્ચ આધ્યાત્મિક
મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે.
(3) બુધ્ધ ધર્મ :- તેનો પ્રાચિન ગ્રંથ “ટ્રીપીતક” છે જે પાલી
ભાષામાં છે. શીલ,
પારિમિતા, ધ્યાન,
જાગરૂક્તા,પ્રજ્ઞા,કરૂણા,મઠ્જીવન મુખ્ય પાસા છે. સત્ય,સાદગીનું અતિ મહત્વ છે.
આમછતાં
મધ્યકાલીન વિચારકો અને તત્વવેતાઓ જેવાકે વિદ્યારણ્ય એ ભારતિય તત્વજ્ઞાનને સોળ વિચારધારામાં
વર્ગિકૃત કરેલ છે જેમાં
(૧) સાંખ્ય (૨) યોગા (૩) ન્યાય (૪) વૈશેષિક (૫) પુર્વ મીમાસાં (૬) વેદાંતા (૭) અદ્વૈત (૮)
વિશિષ્ટ અદ્વૈત (૯) દ્વૈત (૧૦) દ્વૈતાદ્વૈતા (ભેદા અભેદા) (૧૧) શુધ્ધ અદ્વૈતા (૧૨)
અકિંત્ય (ભેદા અભેદા) (૧૩) શૈવ ધર્મ (૧૪) પશુપતા શૈવ ધર્મ (૧૫) શૈવ સિદ્ધાંતા (૧૬)
કાશ્મિર શૈવ ધર્મ
આ વિવિધ
દર્શન સાસ્ત્રમાં તફાવત
હોવા છતાં, એક અર્થમાં એકતા પણ છે
Comments
Post a Comment